Saturday, January 23, 2016

Gujrati msg

*************************
સમજણ વગરનુ દેવુ નકામુ...
નીતિ વગરનું લેવું નકામુ......
ન સમજે તેને કેવું નકામુ....
કોઈના ઘરે ઝાઝા પડી રેવું નકામું............
------------------------------------------
કામ વગરનું જાવુ નકામું.....
ભૂખ વગરનું ખાવું નકામું.....
નીર વગર નાવું નકામું.....
ગળા વગર ગાવું નકામું.......
=================
ગમતું હોય તે મળતું નથી,
મળે છે તે ગમતું નથી...

ગજબ છે ઝીંદગી ની રમતો,
આવે જયારે ૩ એક્કા ત્યારે
સામે કોઈ રમતું નથી.
-—----------------------------------
વ્યસન છોડી દો ,
તો કસરત જ છે .
કોઈને નડો નહી તો 
સમાજ સેવા જ છે .
પાપ ના કરો તો ,
પુણ્ય જ છે .
જેના લીધા છે એને ,
પાછા આપીદો તો દાન જ છે .
------------------------------------------
કેટલુ સરળ છે ઈશ્વર 'ને' માનવું.
પરંતુ,
કેટલુ કઠણ છે ઈશ્વર 'નુ' માનવું ...
----------------------------------------
સબંધના મોતિ પરોવી રાખજો, 
વિશ્વાસની દોરી મજબુત બનાવી રાખજો, 
અમે ક્યાં કીધું કે અમારા જ દોસ્ત બનીને રહો, 
પણ તમારા દોસ્તો ની યાદીમાં, 
એક નામ અમારું પણ રાખજો 
_____________________________
નયન મળતા નયન શરમાઈ જશે, 
મન મળતા મન હરખાઈ જશે, 
જીંદગી છે તો માં-બાપની સેવા કરી જો જો, 
સ્વર્ગ શું છે ?....તે જીવતા જીવતા સમજી જશે....... 
_____________________________
કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે, 
કેટલીક યાદો સ્વપ્ન બનીને રહી જાય છે, 
લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ, 
કોઈકના પગલા કાયમ માટે યાદ રહી જાય છે....... 
__________________________
ઝીંદગી મળવી એ નસીબની વાત છે
મોત મળવું એ સમયની વાત છે 
પણ મોત પછી પણ કોઈના દિલમાં જીવતા રેહવું 
એ ઝીંદગીમાં કરેલા કર્મની વાત છે. 
_____________________________
પાનખરમાં વસંત થવું મને ગમે છે, 
યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે, 
આંખ ભીની તો કાયમ રહે છે, 
તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે
_____________________________
  
મોકલું છું મીઠી યાદ ક્યાંક સાચવી રાખજો, 
મિત્રો હમેશા અમૂલ્ય છે યાદ રાખજો, 
તડકામાં છાયો ના લાવી શકે તો કંઈ નહિ, 
ખુલા પગે તમારી સાથે ચાલશે એ જ યાદ રાખજો. 
____________________________
આંસુ સુકાયા પછી જે મળવા 
આવે... 
એ સંબંધ છે..., ને... 
આંસુ પેહેલા મળવા આવે ...., 
એ પ્રેમ છે...... 
__________________________
  
દરેક ઘર નું સરનામું તો હોય ...પણ.... 
... ગમતા સરનામે ઘર બની જાય..... એ જીવન છે,,


સબંધ માં સામેં વાળા 
     ની " દુ:ખતી રગ "
   જાણતા હોવા છતાં 
ક્યારેય તેનો ઉપયોગ ન 
    કરવો તે જ સાચી
         લાગણી.....!!!
🌹🍃🌹🍃💲🌹🍃🌹🍃

જીંદગી જીવો તો એવી શાનથી જીવો કે,
મર્યા પછી તમારી કબર પર ઉગેલા લીલા ઘાસને જોઈને દુશ્મન પણ બોલી ઉઠે કે, મર્યા પછી પણ આને લીલાલેર છે.




મને ગમ્યું - તમને પણ કદાચ ગમશે...........

            💢

હોશીયાર માણસથી ભુલો થાય તેવુ ક્યારેક બને
પણ ભુલોથી માણસ હોશીયાર થાય તેવુ જરૂર બને છે.

             💢

પરિસ્થિતિ આપણને સાચવી લે તે આપણું નસીબ, 
પરિસ્થિતિને આપણે સાચવી લઈએ તે આપણી સમજણ..

               💢

તું સંબંધમાં પણ માપપટ્ટી રાખે છે , બાકી મારે તો શૂન્યથી પણ ઓછા અંતરે આવવું છે. !!!

              💢

વિધાતા પણ કંઇક એવી જ રમતો કરે છે ક્યાંક અપેક્ષા જગાડે અને તરત જ જે સજાવેલુ હોય
તે બદલી નાખે.                                  

                 💢

ગણો તો હું અસંખ્ય છું, ભણો તો નિગમ છું,
નિરખો તો સગુણ છું, પરખો તો નિર્ગુણ છું.!!

             💢

આખો સાગર નાનો લાગે 
જ્યારે "મ" ને કાનો લાગે...
 
             💢

તું "ખૂદ" માં લખી જો ફકત એક કાનો......

પછી તું ખરેખર "ખુદા" થઇ જવાનો.....

           💢

ભલે ને અટપટા સૌ દાખલા છે સંબંધો માં....
પણ અહમને બાદ કરો તો જવાબ સહેલા છે....

           💢

નથી મળતો સમય સ્નેહ થી વાતો કરવા માટે,
ક્યાંથી કાઢે છે સમય લોકો ઝગડો કરવા માટે...!!!

            💢

ખોટી અપેક્ષા માં જ હારી જવાતુ હોય છે...
નિઃસ્વાર્થ સબંધ નિભાવવા માં ક્યાં દરેક થી જીવાતુ હોય છે..?

               💢
 
એક પરબમાં ખારૂં પાણી, 
આંખો એનું નામ....
રોજ પિરસતી કંઈક વ્યથાઓ, દાતાઓ બેનામ...

               💢
 
માન્યુ કે એટલી સરળ આ વાત નથી, પણ
અંત વગર નવી શરૂઆત નથી. 
બને એવું કે શબ્દોથી, કદી વિખવાદ પણ સર્જાય,
ને ક્યારેક મૌન ના સેતુ થકી સંવાદ પણ સર્જાય...!!

               💢
 
આંગણે આવી ચકલીએ પુછયુ,

આ બારણુ, પાછુ ઝાડ ના થાય.....???

               💢
 
'સુખ'

એટલે 

નહીં ધારેલી , 

નહીં માગેલી 

અને 

છતાં ...

ખૂ......બ ..... ઝંખેલી 

કોઈ કીમતી પળ...

               💢
 
ધર્મ એટલે શું ? ધર્મ ની સૌથી સરળ વ્યાખ્યા ...
કોઈ ના પણ આત્માને તમારા કારણે દુ:ખ ના
પહોચે એની 'તકેદારી' એટલે ધર્મ...

               💢
 
સારું હ્દય અને સારો સ્વભાવ બંને જરુરી છે.
સારા હદય થી કેટલાય સંબંધો બને છે અને
સારા સ્વભાવ થી તે સંબંધો જીવનભર ટકે છે.

               💢
 
અભાવ માં રહેવાના આપણા સ્વભાવને લીધે જે મળ્યું છે એનું સુખ ટકતું નથી ને નથી મળ્યું એનું દુઃખ જતું નથી.

               💢
 
રોટલો કેમ રળવો તે નહિ પણ દરેક કોળિયાને મીઠો કેવી રીતે બનાવવો તેનું નામ કેળવણી... 

               💢
 
મજાક મસ્તી તો જીવનમાં ઓક્સિજન નું કામ કરે છેે.
 બાકી તો માણસ પળે પળ ગુંગળાઇ ને જ મરે છે.

               💢


શબ્દો નો સહવાસ ભલે ઓછો થાય...
લાગણી ની લીલાશ કાયમ રહેવી જોયે

🌿🌴☘





1 comment:

  1. ઉપર ની કવિતા કોણે લખેલ છે....??

    ReplyDelete